સુરતના ચોર્યાસીના મોરા ગ્રામ પંચાયત દ્વારા ગંદુ પાણીનો મામલો
ધારાસભ્ય, એસીપી અને પી.આઈ દ્વારા ધમકી અપાઈનો આક્ષેપ
ગંદુ ગટરનુ પાણી ખાડીમાં છોડાતા પાણી જન્ય જીવોના મોત
સુરતના ચોર્યાસીના મોરા ગ્રામ પંચાયત દ્વારા ગંદુ ગટરનુ પાણી ખાડીમાં છોડાતા પાણી જન્ય જીવોના થયેલા મોત બાદ વિરોધ કરતા ધારાસભ્ય, એસીપી અને પી.આઈ દ્વારા તેઓને ધમકી અપાઈ હોય જેથી તમામ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ મોરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વિના દામકા ગામનીખાડીમાં છોડવામાં આવતા દામકા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વિરોધ કરતા 168- ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, એ.સી.પી દીપ વકીલ, ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી ગોહિલ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત રહી અમો ગ્રામજનોને ધાક-ધમકીઓ આપવા, સત્તાનો દુરુપયોગ કરવા અને મોરાગ્રામ પંચાયતને ગેરકાયદેસર રીતે ગંદુ પાણી દામકા ગામની ખાડીમાં છોડવા માટે બળજબરી કરવા અન્વયે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
