સુરત પાલિકા દ્વારા કવી શ્રી નર્મદની જન્મ જ્યંતિની ઉજવણી
મેયરે ગાંધીબાગ ખાતે નર્મદની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવી
સુરત મહાનગર પાલિકા દ્વારા કવી શ્રી નર્મદની જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ હતી. જેમાં મેયરે ગાંધીબાગ ખાતે નર્મદની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સુરત મહાનગર પાલિકા દ્વારા કવિશ્રી નર્મદ જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ હતી. ચોક બજાર ગાંધી બાગ ખાતે આવેલ કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સુતરાંજલી સહ વંદના કાર્યક્રમ યોજાયો હતો. તો કવિ નર્મદના નિવાસ સ્થાન સરસ્વતિ મંદિર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદન પણ કરાયુ હતું.
