ભાવનગરમાં આધેડની હત્યા
હત્યા કરનારા ત્રણેય ગણતરીના કલાકોમાં ઝડપાયા
ભાવનગર શહેરના બેંક કોલોની વિસ્તારમાં કૌટુંબિક બાબતે જમાઈ રાકેશ વના કુકવાવા,પારૂલ ભાવેશ સોલંકી, તથા હેતલ ઘનશ્યામ મકવાણાએ ગોરધન તળશી દલસાણીયાની હત્યા કરી હતી. આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે મહિલા સહિત ત્રણેય હત્યારાઓને ઝડપી લઇ લોકઅપ હવાલે કર્યા છે આ હત્યારાઓને ડી ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.
