સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ ખાતે રેલી
રોડ પર બેસી વર્ષોથી ધંધો કરતા લોકોએ રેલી કાઢી
પાથરણાવાળાઓ મનપા કમીશનર કચેરીએ પહોંચ્યા
સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ ખાતે રોડ પર બેસી વર્ષોથી ધંધો કરતા લોકોએ રેલી આકારે પહોંચી રજુઆત કરી હતી.
સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજથી પાથરણાવાળાઓએ એક રેલી કાઢી હતી. વર્ષોથી રોડ પર બેસી ધંધો કરનારાઓને પાલિકાના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ મનપા કમીશનર કચેરીએ પહોંચ્યા હતાં. અને ઉગ્ર રજુઆત કરી હતી.
