કાપોદ્રા હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા
નજીવી બાબતે હત્યા,કરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો
કાપોદ્રા વિસ્તારમાં નજીવી બાબતે યુવાનને લોખંડની હથોડી અને લોખંડના સળીયાથી માર મારી હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર, મદદનીશ પોલીસ કમિશનર સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમબી ઔસુરાની ટીમ પીએસઆઈ એએલ પંડ્યાના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાપોદ્રા વિસ્તારમાં નજીવી બાબતે અજયકુમાર નામના યુવાનને લોખંડની હથોડી અને લોખંડના સળીયાથી મારમારી હત્યા કરનાર બે આરોપીઓ મનોજ શ્યામલાલ સાકેત તથા સુરેશ જગ્યલાલ સાકેતને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
