સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કારણે મુશ્કેલી
સાંસદે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ
સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કારણે પડી રહેલી મુશ્કેલીને લઈ સાંસદે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.
સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જો કે તેને લઈ લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે. ત્યારે સુરત લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલ અડાજણ બદ્રીનાથ મંદિર ખાતે બની રહેલ મેટ્રો સ્ટેશનના કારણે પડી રહેલ સોસાયટી લોકોને મુશ્કેલી બાબતે મેટ્રો તેમજ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું અને તેમની સાથે મંદિર તેમજ સોસાયટીના સભ્યો કોર્પોરેટરો અને પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતાં.
