સુરતમાં સુવાલી બીચ પરથી યુવાનની લાશ મળી
હજીરાના કવાસ ગામના ટ્રાન્સપોર્ટનુ વ્યવસાય કરતા યુવાનની લાશ મળી
સુરતના હજીરાના કવાસ ગામના ટ્રાન્સપોર્ટનુ વ્યવસાય કરતા યુવાનની લાશ સુવાલી બીચ પરથી મળી આવી હતી.
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે સુરતના હજીરાના કવાસ ગામના ટ્રાન્સપોર્ટનું વ્યવસાય કરતાં સતીશભાઈ રમણભાઈની લાશ મળી આવી છે. સતીશભાઈની લાસ સુવાલી બીચ સાઈડે હોય સુરત ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ દરિયામાંથી લાશ બહાર કાઢી હજીરા પોલીસને સોંપી હતી. હાલ હજીરા પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
