વડોદરાના સમતા વિસ્તારમાં 35 વર્ષ જૂની બિલ્ડીંગ ધરાશાયી.
સૂર્યકિરણ બિલ્ડીંગના 3 ફ્લેટ પત્તાની જેમ વિખેરાઈ ગયા.
જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું રિનોવેશન ચાલતું હતું
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 20 એપ્રિલની રાતે 10.30 વાગ્યાની આસપાસ 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી.
વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રાતે 10.30 વાગ્યા આસપાસ 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી. બિલ્ડિંગ હલતું હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ દરમિયાન બે યુવક ફસાઇ ગયા હતા. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતાં તેમનો પણ બચાવ થયો હતો. રાતે 10.45 એ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતાં 11 જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહિ? એની પુષ્ટિ કરવા માટે JCB ની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. લાશ્કરોની કામગીરી મોડીરાત સુધી ચાલી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચી વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનાને પગલે 4 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશનનું કામ ચાલતું હતું. દીવાલ પર દીવાલ હોય એમ સ્ટ્રક્ચર હતું, જેથી કામગીરી દરમિયાન વચ્ચેની દીવાલ હટાવી દેવાના કારણે ફ્લેટ ધરાશાયી થયા હોય એવી સંભાવના છે.
ફાયરબ્રિગેડની ત્રણ ટીમ દ્વારા અંદર કોઇ ફસાયું છે કે નહીં એની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વીજપુરવઠો ના હોવાથી હેલોજન લગાવી કામગીરી કરવામાં આવી હતી. એ સાથે 4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. પાદરાના વડુના મોહંમદભાઇને ઉચ્ચક 9 લાખ રૂપિયામાં સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવા માટે કામ આપવામાં આવ્યું હતું, જેમાં તેઓ રોજ 4 મજૂરોને લાવી કામ કરાવતા હતા
સમતાના 33 વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન રવિવારે મોડીરાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતાં 2 થી 3 પરિવારના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા, જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી એમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગ રૂપે નીચે ઉતારી લેવાયા હતા. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીપી-13, વડીવાડી અને ઇઆરસીની ટીમોએ અંદર કોઇ ફસાયું છે કે નહીં એની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે 2 જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી મોડીરાત સુધી હાથ ધરાઈ હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી