સુરત : અડાજણમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં 25 જેટલા મોબાઈલ મુળ માલિકોને પરત કરાયા
સુરતમાં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ મુળ માલિકોને પરત કરવા અડાજણ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમા 25 જેટલા મોબાઈલ મુળ માલિકોને પરત કરાયા હતાં.
ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મુળ માલિકોને પરત કરવા માટે સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાય છે. ત્યારે સુરતના અડાજણ પોલીસ દ્વારા પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ડીસીપી, એસીપી અને અડાજણ પી.આઈ.ની હાજરીમાં યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં 25 જેટલા મોબાઈલ મુળ માલિકોને પરત કરાયા હતા જેને લઈ તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
