સુરત : શું મહાનગર પાલિકા કોઈ દુ*ર્ઘટનાની રાહ જોઈ રહી છે ?
ડુંભાલથી ભાઠેના જતા બ્રિજ પર દેખાયા સળિયા
રેલવે લાઈનની ઉપરથી બ્રિજ પસાર થઈ રહ્યો છે
રોજબરોજ પસાર થતાં હજારો લોકોના જીવ જોખમમાં
ક્યારે થશે સમારકામની કામગીરી ?
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ડુંભાલથી ભાઠેનાને જોડતા બ્રિજ પર સળિયા દેખાતા લોકોએ તાત્કાલિક બ્રિજ પર કામગીરી કરવા માંગ કરી હતી.
ગુજરાતમાં બ્રિજ દુર્ઘટનાઓ વચ્ચે ગંભીરા બ્રિજ દુર્ઘટના બનતા સુરતમાં પણ તેના પડઘા પડ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સ્માર્ટ સીટી સુરતમાં બ્રીજ ઉપર લોખંડના સળિયા દેખાયા છે. ડુંભાલથી ભાઠેના જતા બ્રિજ ઉપર સળિયા દેખાયા હતા. રેલ્વે લાઈનની ઉપરથી પસાર થતા બ્રીજમાં સળીયા દેખાતા લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોય તાત્કાલિક આ બ્રિજ પર કામગીરી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરાઈ છે.
