અશ્વનિકુમાર ફૂલ બજાર મુદ્દે રાજકારણ ગરમાયું,
વિક્રેતાઓએ કોંગ્રેસ નેતા દર્શન નાયકના આક્ષેપોનો વિરોધ કર્યો
વિક્રેતાઓએ તપાસની માંગને ખોટી ગણાવી વિરોધ નોંધાવ્યો
સુરતના અશ્વનિકુમાર ખાતે આવેલ ફુલ બજારને લઈ તપાસ કરવાની દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી માંગ કરતા ફુલ વિક્રેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.
સુરતના અશ્વનિકુમાર ફૂલ બજારને લઈને તપાસ કરવાની કોંગ્રેસ નીતા દર્શન નાયક એ પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી માંગ કરી હતી. અને કહ્યુ હતુ કે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલે છે તેવા આક્ષેપો વચ્ચે ફૂલ બજાર વિક્રેતાઓએ કર્યો દર્શન નાયકની તપાસ નો વિરોધ કર્યો હતો. અને ફુલ વિક્રેતાઓએ કહ્યુ હતુ કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ખોટી માહિતી ફેલાવનારની હાય હાય બોલાવવામાં આવી હતી. સાથે ફૂલ બજાર વિક્રેતાઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી.
