બિહારમાં ભાજપના ગઠબંધનની ઐતિહાસિક જીત
સી.આર.પાટીલે અભિનંદન આપ્યા
બિહારના સહપ્રભારી સી.આર. પાટીલે કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા
બિહારમાં ભાજપના એનડીએ ગઠબંધનની ઐતિહાસિક જીત થતા કેન્દ્રીય જળ શક્તિમંત્રી અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલે સુરતમાં નિવેદન આપી ભાજપના કાર્યકાર્તાઓને અભિનંદન આપ્યા હતાં.
બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે. 243 બેઠકો માટેના વલણો ભાજપના એનડીએ ગઠબંધન માટે ક્લીન સ્વીપ સૂચવે છે. ત્યારે સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ કે જેઓ બિહારના સહપ્રભારી હતા તેઓએ બિહારમાં એનડીએની થયેલી ભવ્ય જીતને લઈ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અને કહ્યુ તુ કે આ બિહારના વિકાસની જત છે. જંગલરાજનો પરાજય થયો છે.
