સુરત : માંડવીમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઈ
બિલકેશ્વર મહાદેવના મંદિરે ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાય
ઉજવણીમાં મંત્રી કુંવરજી હળપતિ જોડાયા હતા
માંડવી ના તાપી મૈયા ના રમણીય તટે આવેલ બિલકેશ્વર મહાદેવના વષો પુરાણા બિલકેશ્વર મહાદેવના મંદિરે ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ગુરુપૂર્ણિમા ઉજવાય.
માંડવી નવા પુલ પાસે તાપી મૈયાના રમણીય તટે આવેલ વર્ષો પુરાણા બિલેશ્વર મહાદેવના મંદિરે ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં વી ડી સ્વામીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાય. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વી ડી.સ્વામીની પૂજા અર્ચના કરાઈ હતી. જેમાં માંડવી નગર ભાજપના મહામંત્રી શાલીન, વિજય પટેલ, મગન પટેલ, હસુ પટેલ, નીતિન શુક્લ,નટુ રબારી તથા સંગઠનના હોદ્દેદારો કોર્પોરેટર ઉપસ્થિત રહી સ્વામીજીને પુષ્પહાર કરી નમન વંદન કર્યા હતા…
