હરિયાણાના પાનીપતથી નિકળેલા સાયકલ સવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને ઓપરેશન શિંદુરએ દેશનું ગૌરવ વધાર્યું
સુરત આવતા તેમણે ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો
વિકસીત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને ઓપરેશન શિંદુરમાં દેશનુ વધેલુ ગૌરવને લઈ ચારધામ યાત્રા અને દેશ દર્શન માટે હરિયાણાના પાનીપતથી નિકળેલા સાયકલ સવાર દિપક શર્મા સુરત આવતા તેમણે ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
હરિયાણાના પાણીપત ખાતે રહેતા દિપક શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસીત ભારતના સંકલ્પ અને સાથે ઓપરેશન શિંદુરમાં દેશને મળેલા ગૌરવને લઈ ચાર ધામ યાત્રા સાથે દેશ દર્શન માટે નિકળ્યા છે. જેઓ 3 હજાર કિલોમીટરની યાત્રા કરી સુરત આવતા સુરતમાં તેઓનુ સ્વાગત કરાતા તેઓએ ગુજરાતીઓનું આભાર વ્યક્ત કર્યુ હતું. અને જણાવ્યુ હતું કે હાલમાં તેઓ દ્વારકાધીશના દર્શન કરી ચુક્યા છે. તો તેઓ 10 હજારની યાત્રા પુર્ણ કરી બદ્રીનાથ ખાતે પહોંચશે. તો શુ કહ્યુ સાયકલ યાત્રા પર નિકળેલા દિપક શર્માએ સાંભળીયે.
