સુરતના કતારગામમાં શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનું મામલો

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામમાં શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનું મામલો
સુરત પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી
વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી
પોલીસના મહિલા સેલને સાથે રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવશે

સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનું મામલો, સુરત પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી

સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત મામલે સુરત પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. કતારગામ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની સામાજિક અગ્રણીઓએ રજૂઆત કરી હતી. કતારગામ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી હતી. કાળા કાચ વાળી ગાડીઓને દંડ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી કે કોઈપણ ઈસમે હેરાન કરે તો પોલીસની મદદ લો, આગામી દિવસોમાં ડ્રાઇવ વધુ મજબૂતીથી આગળ વધારવામાં આવશે.પોલીસના મહિલા સેલ ને સાથે રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *