સુરત ઉધના પોલીસ મથકમાં હત્યા નાસતા ફરતા આરોપી
28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગંજામથી ઝડપી પાડ્યો
આદિકંદ ઉર્ફે આદિયા પુર્ણચંદ્ર પ્રધાનને ઝડપી પાડ્યો
સુરત ઉધના પોલીસ મથકમાં હત્યાના ગુનામાં પકડાયા બાદ 28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શરીર સંબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એનડીપીએસ સ્કોડની ટીમે બાતમીના આધારે ઉધના પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં 28 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા ઓરિસ્સાના કેન્દ્રપાડાનો આદિકંદ ઉર્ફે આદિયા પુર્ણચંદ્ર પ્રધાનને ગંજામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી
