સુરતમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ
મોરાભાગળ વિસ્તારમાં પાણી ભરાયા
પાણી નહી ઉતરતા લોકોમાં રોષ જોવા મળ્યો
સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈ મોરાભાગળ વિસ્તારમાં પાણી ભરાયા હતા જો કે હાલમાં વરસાદ બંધ થયો હોવા છતા પાણી નહી ઉતરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈ સુરતના મોરાભાગળ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જો કે વરસાદ બંધ થયો હોવા છતાં પાણી નહી ઉતરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોરાભાગળ થી જહાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતાં. વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે. જો કે સુરત મહા નગર પાલિકાનું તંત્ર ચોમાસા દરમિયાન નિષ્ફળ નિવડ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. લોકો અને વહન ચાલકો પાણીમાંથી જવા મજબૂર બન્યા છે જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
