સુરતના વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના એક માત્ર ઉમેદવારની જીત
અરશદ જરીવાલા વિજય બનતા મતદારોનો આભાર માન્યો
જીત બદલ મોવઢી મંડળનો પણ આભાર વ્યક્ત કર્યો
સુરતના વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર અરશદ જરીવાલા વિજય બનતા તેઓએ મતદારોનો આભાર માન્યો હતો.
ગત મનપાની ચુંટણીમાં કોંગ્રેસના સુરતમાં સુપડા સાફ થઈ ગયા હતા ત્યારે આ વખતે કોંગ્રેસના વોર્ડ નંબર 12માં ઉમેદવાર અરશદ જરીવાલા વિજયી બન્યા હતાં. વોર્ડ નંબર 12માં ભાજપના ત્રણ ઉમેદવારો જીત્યા હતા જ્યારે કોંગ્રેસનો એક માત્ર ઉમેદવાર અરશદ જરીવાલા વિજયી બનતા તેઓએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને જીત બદલ મોવઢી મંડળનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
