સુરતના કતારગામ વરીયાવ ખાતે શ્રી હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં સહયોગીઓનું સન્માન
કાર્યકરો, નેતાઓ અને આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ જોડાયા
સુરતના કતારગામ વરીયાવ ખાતે આવેલ આઉટર રિંગરોડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં શ્રી હનુમાન મંદિર નિર્માણ યજ્ઞના સહયોગીઓનું સન્માન કરાયુ હતું.
સુરતના ન્યુ કતારગામ વરીયાવ આઉટર રીંગ રોડ પર ભવ્ય શ્રી હનુમાન મંદિર નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આ ભવ્ય મંદિરના નિર્માણ યજ્ઞના સહયગી દાતાઓનુ રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં દાતાઓ સાથે મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો, ભાજપના કાર્યકરો, નેતાઓ અને આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ પણ જોડાયા હતાં.
