મોડાસાથી રામદેવરા માટેની સ્લીપરકોચ બસને લીલીઝંડી અપાઈ

Featured Video Play Icon
Spread the love

મોડાસાથી રામદેવરા માટેની સ્લીપરકોચ બસને લીલીઝંડી અપાઈ
સરકાર દ્વારા સ્લીપર બસ આપવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ
બસ દરરોજ સાંજે ૩ વાગે નીકળી બસ સવારે ૭ વાગે રામદેવરા પહોંચશે

મોડાસા થી રામદેવરા માટેની સ્લીપરકોચ બસને આજે લીલીઝંડી આપીને રવાના કરાઈ હતી…

અગાઉ અપાયેલી બસમાં મિનિ બસ હતી જેના કારણે શ્રદ્ધાળુઓને અગવડતા પડતી હતી..રાજસ્થાનના રામદેવરા સુધી ૬૦૦ કિમી સુધીની લાંબી સફરને સરળ કરવા માટે સરકાર દ્વારા નવીન સ્લીપર બસ આપવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીમો માહોલ છે…નીચેની બેઠકમાં ૩૦ સીટ તેમજ સ્લીપર માટે ૧૫ સીટ ફળવાઈ છે..મોડાસા બસપોર્ટથી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહજી પરમાર અને ભાજપ પ્રમુખ ભીખકો ઠાકોરના હસ્તે લીલીઝંડી આપીને બસને રવાના કરાઈ હતી…દરરોજ સાંજે ૩ વાગે નીકળી બસ સવારે ૭ વાગે રામદેવરા પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *