સુરતની એમપી લીલીયાવાલા સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્મની ઉજવણી
વિવિધ દેશભક્તિ કૃતિઓ રજૂ કરી પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ
સુરતમાં 26મી જાન્યુઆરીની શાળાઓમાં ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરતની એમપી લીલીયાવાલા સ્કુલ ખાતે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરમાં આવેલી એમપી લીલીયાવાલા સ્કૂલ દ્વારા 26મી જાન્યુઆરી 77 માં પ્રજાસત્તાક પર્વની આનબાન સાથે ઉજવણી કરાઈ હતી. દેશભક્તિના ગીતો સાથે વિવિધ વેશભુષામાં આવેલા બાળકોએ હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈશાઈ ની એકતાનાદર્શન કરાવ્યા હતા અને હમ સબ એક હેનો સંદેશો આપ્યો હતો. એમ.પી. લીલીયાવાલા સ્કુલ ખાતે યોજાયેલા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં રિટાયર્ડ ડીઈઓ સાથે શાળાના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં. તો વિદ્યાર્થીઓ ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરૂ, ભગત સિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. અબ્દુલ કલામ સહિત બનીને આવ્યા હતાં. તો એમપી લીલીયાવાલા સ્કુલમાં યોજાયેલા કાર્યક્રમ અંગે ટ્રસ્ટી મમતાબેન લીલીયાએ વધુ એ માહિતી આપી હતી.
