પાતલ માર્ગ પર ટ્રકની ટક્કરે રાહદારીનું મોત
અરેઠના અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી, પોલીસ દ્વારા તપાસ શરૂ
અરૅઠ તાલુકાના પાતલ ખોડંબા ગામની સીમમાં એક અજાણ્યા ટ્રક ચાલક રજીસ્ટ્રેશન નંબરની કે ટ્રક ચાલકના સરનામાની જાણ નથી જેણે પોતાના કબજાની ટ્રક બેફિકરાય થી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે અને પૂર ઝડપે હંકારિ રસ્તે ચાલતા રાજેન્દ્રભાઈ શ્રીનિવાસ ભાઈ ગામીત ઉંમર વર્ષ 24 રહેવાસી પાતલ તાડી ફળીયુ ને અકસ્માત કરિ છાતીના તથા પીઠભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે ઓછી વધતી ઇજા પહોંચાડી નાસી છૂટી ગુનો કરેલ છે. આ અંગેની જાણ ગીતાબેન તે શ્રીનિવાસભાઈ ગામીત વિધવા દ્વારા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા અરેઠ પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
