ભાવનગરમાં પરિવાર હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું મોત.

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પરિવાર હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું મોત.
ડૉ. મલય મકવાણા પર બેદરકારીના ગંભીર આક્ષેપ
ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો

ભાવનગર શહેરમાંથી તબીબીની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની એક જાણીતી ખાનગી પરિવાર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલ નામની મહિલાનું મોત થઈ જતાં ભારે હોબાળો મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

મળતી વિગતો અનુસાર ઉષાબા ગોહિલે 12 દિવસ પૂર્વે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન ડો. મલય મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીને રજા આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમની તબિયત સતત બગડી રહી હતી. અસહ્ય દુખાવો અને અન્ય શારીરિક તકલીફોને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો. ડોક્ટરની કથિત અવગણના રવિવારે ઉષાબાની તબિયત વધુ લથડી હતી, ત્યારે પરિવારજનો તેમને લઈને ડો. મલય મકવાણા પાસે પહોંચ્યો હતા. પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરે પરિસ્થિતિની ગંભીરતા સમજવાને બદલે તેને સામાન્ય દુખાવો ગણાવ્યો હતો. ડોક્ટરે યોગ્ય તપાસ કર્યા વિના અથવા તો ગંભીરતા લીધા વિના દર્દીને ઘરે પરત મોકલી દીધા હતા.

જ્યારે મહિલા દર્દીની હાલત અત્યંત નાજુક બની જતાં તેમને તાત્કાલિક ફરીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને આજે સાંજે ઉષાબા ગોહિલનું કરૂણ મોત નિપજ્યું હતું. આ સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં શોક અને રોષનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો રવિવારે ડોક્ટરે દર્દીને ગંભીરતાથી તપાસ કરી હોત અને સમયસર સારવાર આપી હોત, તો આજે ઉષાબા જીવિત હોત. તબીબની આ ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલા સગા-સંબંધીઓએ જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે કડક પગલાં ન લેવાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો સ્પષ્ટ નકાર કરી દીધો છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *