સુરત શહેરમાં રોગચાળાથી વધુ એકનું મોત

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં રોગચાળાથી વધુ એકનું મોત
પાલી ગામમાં ઝાડા ઉલટી બાદ 24 વર્ષે યુવાનનું મોત
સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

સુરતમાં ચોમાસા દરમિયાન રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે ત્યારે સચીન જીઆઈડીસી પાલી ગામમાં ઝાડા ઉલટી બાદ 24 વર્ષે યુવાનનું મોત નિપજ્યુ હતું.

સુરત શહેરમાં રોગચાળાથી વધુ એકનું મોત નિપજ્યુ છે. સચિન જીઆઈડીસી પાલી ગામમાં ઝાડા ઉલટી બાદ 24 વર્ષે યુવકનું મોત નિપજ્યુ છે. યુવકને બે દિવસ ઝાડા ઉલટી આવ્યા બાદ નજીકમાં સારવાર કરાવી હતી તો યુવકની વધુ તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકનું બે દિવસના તાવ બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. હાલ તો સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *