મોડાસા: શામપુર ગામે મનરેગા યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચારના આક્ષેપ
એક જાગૃત નાગરિકે ઉચ્યકક્ષાએ તપાસ કરવા અરજી કરી.
મનરોગ યોજનામાં શામપુરના મેટ દ્વારા કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે ઉચ્યકક્ષાએ તપાસ કરવા અરજી કરી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામના મેટ દ્વારા મનરેગા યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે ACB ના રાજ્ય DGP અને ડાયરેકટર,અરવલ્લી જિલ્લા કલકટર,જિલ્લા વિકાસ અધિકારી અને,જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી તેની યોગ્ય તપાસ ની માંગ કરવા માં આવી છે.
