સુરતના ડુમસ રોડ પર ગૌરવ મહેતાએ પ્રથમ સ્ટોર શરૂ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરતના ડુમસ રોડ પર ગૌરવ મહેતાએ પ્રથમ સ્ટોર શરૂ કર્યો
નામાંકિત ઘડિયાળની ક્ષેણી ઉપલબ્ધ
લોકો માટે એક વોચ મેકિંગ સેશન પણ રાખવામાં આવ્યું

સુરતના ડુમસ રોડ પર આવેલ વીઆર મોલ ખાતે ઉદ્યોગ સાહસિક ગૌરવ મહેતાએ પોતાનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો છે. જ્યાં અનેક નામાંકિત ઘડિયાળની ક્ષેણી ઉપલબ્ધ છે.

સુરતમાં નવા બુટિક સાથે પોતાના ઓફલાઇન વ્યવસાયનો ગૌરવ મહેતાએ વિસ્તાર કર્યો છે. ભારતની ઊભરતી પ્રીમિયમ માર્કેટ્સમાં સ્વદેશી લક્ઝરી વોચ બ્રાન્ડ્સની સતત વધતી જતી માંગને આ પગલું પ્રતિબિંબિત કરે છે. વીઆર મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નંબર 1 માં આવેલો આ સ્ટોર અંદાજે 450 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. ગ્રાહકો માટે આ સ્ટોર દરરોજ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જે મોલના સમય અને ગ્રાહકોની ભારે અવરજવરને અનુરૂપ છે. અમદાવાદ બાદ સુરતમાં આ કંપનીનો પ્રથમ અને ગુજરાતમાં બીજો સ્ટોર છે. ગૌરવ મહેતા માટે આ પગલું વેસ્ટર્ન ઈન્ડિયાના સમૃદ્ધ ગ્રાહકો સુધી પહોંચવા માટે મહત્વનું છે, જ્યાં જ્વેલરી અને લાઈફસ્ટાઈલની ખરીદીનું પ્રમાણપહેલેથી જ ઊંચું છે અને હવે નીશ વોચ બ્રાન્ડ્સમાં રસ વધી રહ્યો છે. 11 માર્ચના રોજ આયોજિત લોન્ચ ઈવેન્ટમાં બાઘ ઘડિયાળ પ્રદર્શિત કરવામાં આવી હતી, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ પહેરવામાં આવી છે. આ ઉપરાંત, ત્યાં ઉપસ્થિત લોકો માટે એક વોચ મેકિંગ સેશન પણ રાખવામાં આવ્યું હતું, જેથી તેઓ આ વિશિષ્ટ ઘડિયાળો બનાવવાની પ્રક્રિયાને નજીકથી સમજી શકે. ગૌરવ મહેતાએ કહ્યુ હતુ કે સુરતનો અમારો આ નવો સ્ટોર એવા ગ્રાહકો સુધી પહોંચવાના અમારા સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે જેઓ ક્યુરેટેડ ક્રાફ્ટમેનશિપ અને બીસ્પોક ડિઝાઇનના ચાહક છે. અમે ભારતના પ્રીમિયમ રિટેલ સ્થળો પર અમારી હાજરી વધારી રહ્યા છીએ, ત્યારે અમારો ઉદ્દેશ્ય એવા સ્થાનો બનાવવાનો છે જ્યાં લોકો અમારી ઘડિયાળોને માત્ર સમય જોવાની વસ્તુ તરીકે નહીં, પરંતુ સંસ્કૃતિ, ડિઝાઇન અને વ્યક્તિગત ઓળખના પ્રતીક તરીકે અનુભવી શકે, તેમ જયપુર વોચ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ ગૌરવ મહેતાએ જણાવ્યું હતું. રિટેઇલના દ્રષ્ટિકોણથી જોઈએ તો, વીઆર મોલ બ્રાન્ડને ડેસ્ટિનેશન શોપર્સ, સ્થાનિક રહેવાસીઓ અને મલ્ટિપ્લેક્સ, કેફે તથા ફેશન સ્ટોર્સની મુલાકાત લેતા યુવા ગ્રાહકો સુધી પહોંચવાની તક પૂરી પાડે છે. આવા વાતાવરણમાં બુટિક હોવાને કારણે આયોજિત ખરીદી અને અચાનક મુલાકાત લેતા ગ્રાહકો એમ બંનેનો લાભ મળે છે, જે ઘડિયાળના શોખીનો સિવાય અન્ય લોકોમાં પણ પોતાની ઓળખબનાવી રહેલી માઇક્રો લક્ઝરી બ્રાન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સુરતમાં આ નવા સ્ટોરના પ્રારંભ સાથે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદ સહિતના શહેરોમાં કંપનીનું નેટવર્ક વધુ મજબૂત બન્યું છે. ગૌરવ મહેતા આ એક્સક્લુઝિવ બુટિક્સ દ્વારા ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધવા, પસંદગીનું કલેક્શન રજૂ કરવા અને તેમની દરેક શ્રેણી પાછળની વાર્તા લોકો સુધી પહોંચાડવા માંગે છે. ખાસ કરીને આ ઘડિયાળોની ડિઝાઇનમાં ભારતીય સિક્કાઓ, કલાત્મક પ્રતીકો અને ઐતિહાસિક સંદર્ભોની ઝલક જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *