સુરતના પાલ વિસ્તારમાં અગ્નિસ્નાન
પતિનું પત્નિ અને બાળકો દ્વારા અપાતા ત્રાસથી કંટાળી અગ્નિસ્નાન
સંતોષની બહેન અને કાકા દ્વારા પત્નિ અને બાળકો પર આક્ષેપ
સુરતના પાલ વિસ્તારમાં રહેતા પતિએ પત્નિ અને બાળકો દ્વારા અપાતા ત્રાસથી કંટાળી અગ્નિસ્નાન કરી લેતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નિપજ્યુ હોવાના આક્ષેપો કરાયા હતાં.
સુરતમાં પારિવારીક સમસ્યાને લઈ આપઘાતની ઘટનાઓ વધી રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે પાલ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય સંતોષ દાભોલકરએ પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જો કે ત્યાં ટુંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતું. જેને લઈ મૃતક સંતોષની બહેન અને કાકા દ્વારા પત્નિ અને બાળકો પર ગંભીર આક્ષેપો કરાયા હતા અને તે દ્વારા અપાતા ત્રાસથી કંટાળી સંતોષ એ આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરતા હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
