માંડવી ગરેડીયા પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે
પુલ નવનિર્મિત બનશે રૂપિયા 7.5 કરોડના ખર્ચે નિર્માણ થશે.
માંડવી ગરેડીયા નાકા ખાતે આવેલ પુલ ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 7.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે તારીખ 14 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવશે.
માંડવી ગરેડીયા નાકા ખાતે આવેલ પુલ ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 7.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી ગરેડીયા ફુલ અંગેની માંગણીને ધ્યાને લઈ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂપિયા 7.5 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જે બદલ હું એ બંનેનો ખરા હૃદય પૂર્વક આભાર માનું છું અને તારીખ 14 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે 10:30 કલાકે ખાતમુરત કરવામાં આવનાર હોય જેમાં માંડવી તાલુકા તથા અને અરેઠ તાલુકાના તમામ કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કરું છું…
