15 મી ઓગષ્ટની સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી
ખિદમત એ બશર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન
15મી ઓગષ્ટ ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
15 મી ઓગષ્ટની સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે ચોક બજાર ખાતે ખિદમત એ બશર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
79માં સ્વાતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. તો સુરતના ચોક બજાર બડેખા ચકલા ખાતે ખિદમત એ બશર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15મી ઓગષ્ટ ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ખિદમત એ બશર ટ્રસ્ટ દ્વારા ધ્વજા રોહણ નુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતાં. દ્વજવંદન કાર્યક્રમનુ આયોજન મૌલાના અસગર અલી દ્વારા કરાયુ હતુ તો ઉપપ્રમુખ શેખ આરીફ બાબા ઉપસ્થિત રહ્યા છે. તો મુખ્ય અતિથિ તરીકે અઠવા પીઆઈ, સ્થાનિક કોર્પોરેટરો તથા આગેવાનો હાજર રહ્યા હતાં.
