સ્થાપના દિન નિમિત્તે વન્દે પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સ્થાપના દિન નિમિત્તે વન્દે પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી
શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર એવોર્ડ અર્પણ વિધિ કાર્યકમનું આયોજન
સ્ટુડન્ટ્સ દ્વારા અખંડ ભારતીય થીમ પર કાર્યક્રમ

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા તેના સ્થાપના દિન નિમિત્તે પ્રતિબધ્ધતા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ અને સંસ્થા કે જેઓએ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેમને શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર એવોર્ડ અપાયા હતા, સલથાના બાળકો દ્વારા અખંડ ભારત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદ ખાતે અત્યંત પ્રતિષ્ઠિત અને સો વર્ષ કરતા પણ જૂની શૈક્ષણિક સંસ્થા કે જેની 30 જેટલી સંસ્થાઓ કે.જી થી પી જી સુધી કાર્યરત છે અને 19,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે તેવી સંસ્થા દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દર વર્ષે નવમી ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ચાલુ વર્ષે 9 ડિસેમ્બર દરમિયાન ઉજવાયેલા સાપ્તાહિક કાર્યક્રમમાં જાહેર જનતા માટે સોસાયટી સંચાલિત શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, આ સાંસ્કૃતિક કાર્યક્રમની વિશેષતા એ હતી કે આમાં વિદ્યાર્થીઓને અખંડ ભારતના વિષયો ઉપર ડાન્સ પ્રસ્તુત કર્યો હતો, તેમજ અખંડ ભારતના વિષયમાં લોકોને માહિતગાર કર્યા હતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ શેઠ મંત્રી મનીષ ગાંધી, પ્રમુખ પંકજ શેઠ વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિધિ સંપન્ન કરવામાં આવી હતી એવોર્ડ અર્પણ વિધિમાં સંસ્થાના કર્મચારીઓ શહેરીજનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આમ દાહોદ ખાતે આ ખાતે પ્રતિબંધતા દિવસ ખૂબ ધામધુમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *