બારડોલીમાં વિભાજન વિભીષિક સ્મૃતિ દિવસ ઉજવાયો
સ્મૃતિ દિવસને લઈ મોન રેલીનુ આયોજન કરવામા આવ્યુ
કાર્યક્રમમાં ધારાસભ્ય, સાંસદ, ભાજપ પ્રમુખ વગેરે હાજર રહ્યાં
સુરત જીલ્લા ના બારડોલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિભાજન વિભીષિક સ્મૃતિ દિવસ ઉજવાયો હતો .
અંગ્રેજો સામે દેશ આઝાદ થયો પણ દેશ એ આઝાદી ની ઘણી મોટી કિંમત ચૂકવી પડી હતી . દેશ ના વિભાજન સાથે 1.50 કરોડ હિન્દુ ઓ ના નરસંહાર થયા હતા. આ દુઃખદ ઘટના ની તુલના ઉપસ્થિત પ્રવક્તા એ હિટલર ના કૃત્ય કરતા પણ કઈ ઘણી વધારે જણાવી હતી . આ પ્રસંગે દેશ ના વિભાજન મા થયેલા અત્યાચાર બાબતે મોટી સંખ્યા મા ઉપસ્થિત કાર્યકરો ને લઘુ ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી . ત્યાર બાદ એક મોન રેલી નુ આયોજન કરવા મા આવ્યુ હતુ .આજ ના આ કાર્યક્રમ મા બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો મોહન ધોડિયા ઈશ્વર પરમાર , મુખ્ય વક્તા તરીકે શબ્દશરણ બ્રહ્મભટ સહીત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ વગેરે હાજર રહ્યા હતા
