અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રખડતા શ્વાનના ત્રાસથી હોબાળો
જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકો સામસામે આવ્યા
શ્વાનનો ત્રાસ વધતા સ્થાનિકોએ શ્વાનને અન્ય સ્થળે છોડતા હોબાળો
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે રાત્રિના સમયે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ શ્વાનોના જૂથ દેખાતા હોવાથી બાળકો અને મહિલાઓને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. શ્વાન કરડવાના નાનાં મોટાં બનાવો બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પરિસ્થિતિ વણસતાં કેટલાક લોકોએ ખાનગી એજન્સીની મદદથી આખા વિસ્તારમાંથી આશરે 35 થી 40 રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડ્યા હતા. આ પગલું સામે આવતાં જ જીવદયાપ્રેમીઓએ આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો.
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોએ શ્વાનોને પકડી કાર્યવાહી કરતા જીવદયાપ્રેમીઓ દોડી આવ્યા અને બંને પક્ષોમાં વાદ–વિવાદ ઉગ્ર બનતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધ્યા છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
