વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના નો મામલો
અરવલ્લીમાં ઘટનાનું પુર્ણાવર્તન ન થાય તે માટે તંત્ર સફાળું જાગ્યું
મેઘરજ- માલપુર પંથકના બ્રિઝોનું અલગ અલગ અધિકારીઓની વિવિધ ટિમો દ્વારા નિરીક્ષણ
માલપુર મેઘરજના 5 બ્રિઝોનું નિરીક્ષણ કરાયું
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઇ અરવલ્લી તંત્ર સફાળું જાગ્યું છે. અરવલ્લી જિલ્લામાં ઘટનાનું પુર્ણાવર્તન ન થાય તે માટે તંત્ર સફાળું જાગ્યું છે. મેઘરજ- માલપુર પંથકના બ્રિઝોનું અલગ અલગ અધિકારીઓની વિવિધ ટિમો દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહી છે. મેઘરજના રેલ્લાવાડા નજીક મેશ્વો નદીના બ્રિજનું જિલ્લા પુરવઠા અધિકારી અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે માલપુર મેઘરજના 5 બ્રિઝોનું નિરીક્ષણ કરાયું હતું. એક પણ બ્રિઝ ક્ષતિગ્રસ્ત ન હોવાની માહિતી અપાઈ
