દાહોદ જીલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર
પ્રમુખ સહિત હોદ્દેદારોએ અને સભ્યોએ આવેદનપત્ર આપ્યું
ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે પર આંદોલન કરવાની ચીમકી આપી
દાહોદ જીલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા કેટલાક પ્રશ્નોના ઉકેલ બાબતે જીલ્લા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું હતું.
દાહોદ જીલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના પ્રમુખ ઉદેસિંહ લબાના સહિત હોદ્દેદારો અને સદસ્યો દ્વારા જીલ્લા કલેક્ટર આવેદનને આપવામાં આવ્યું તેમજ એસોસિએશનના વિવિધ પ્રશ્નો અંતર્ગત જણાવાયું હતું કે દુકાનદારોને માસિક કમિશન તા.૧ લીથી ૫ મી સુધીમાં ચુકવાવું જોઈએ. ગોડાઉન ખાતે તુવેરદાળનો જથ્થો નહી હોય તો પણ તેના પૈસા ભરવા દબાણ કરાય છે તે બંધ થવું જોઇએ, ૪૫ દિવસની ચેન સમાપ્ત કરીને ૩૦ દિવસની કરવામાં આવે જેથી મહિનાના અંતે વધેલ જથ્થો બીજા માસમાં લાઈવ જથ્થા તરીકે બતાવી શકાય, રેશનના જથ્થામાં ક્વિન્ટલ દીઠ એક ટકાની ઘટ મળવી જોઈએ, માય રેશન એપ દ્વારા કાર્ડ ધારકોને માહિતી ખોટી પહોંચતી હોઈ દુકાન પર જથ્થો આવ્યો નહી હોવા છતાં દુકાન પરથી જથ્થો મળશે એવી માહિતીને લઇને ઘણીવાર કાર્ડ ધારકો અને દુકાનદાર વચ્ચે વિવાદ ઉભો થાય છે. જેથી માય રેશન એપમાં સાચી માહિતી મુકવામાં આવે, વેબસાઈટ ખોલવા દુકાનદારની ફિંગર ઉપરાંત ઘરના અન્ય સદસ્યની ફિંગર પણ હોવી જોઈએ જેથી દુકાનદાર બિમાર હોય તેવા સંજોગોમાં પણ વિતરણ ચાલું રહે, લોગીન કર્યા બાદ ૨૦ મિનિટમાં ઓટો લોગઆઉટ થઈ જવાય છે જેમાં સમય મર્યાદા વધારવી જોઈએ,ઘણીવાર કાર્ડ ધારકોના બે વાર ફિંગર લેવામાં આવે છે તેની જગ્યાએ એકજ ફિંગરમાં કુપન નીકળવી જોઈએ વળી કાર્ડ ધારકોને મળવાપાત્ર તુવેરદાળનો જથ્થો દર મહિને અનિયમિત આવતો હોય છે,
અમુકવાર પૈસા ભરવા છતાં જથ્થો આવતો નથી અને અમુકવાર નિયત કરતા અડધો જથ્થો આવે છે,તેને લઈને કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે વિવાદ ઉભો થાય છે તેથી તુવેરદાળનો જથ્થો નિયમિત મળવો જોઈએ. એસોસિએશન દ્વારા આવા પડતર અને વણ ઉકલ્યા પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી. ન છૂટકે ગાંધી ચિધિયા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી આપી છે…
