બિરસા મુન્ડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ
વિકાસ સપ્તાહ રથયાત્રા માર્ગ અને સ્થળોની જાહેરાત
જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી તૈયારીઓ
આજરોજ માનનીય ધારાસભ્ય તથા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતી સાહેબની ઉપસ્થિતિમાં જન સંપર્ક કાર્યાલય ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુન્ડાજીની 150મી જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી મહોત્સવ અંતર્ગત યોજાનાર વિકાસ સપ્તાહ મહોત્સવ – 2025 રથયાત્રાના સુરત જિલ્લાના માર્ગ અને સ્થળોની માહિતી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, પરંપરા અને વિકાસના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે આ રથયાત્રા એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી જીગરભાઈ નાયક, શ્રી કિશનભાઈ પટેલ, તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
