સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ ધરણા કર્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ ધરણા કર્યા
જીવદયા પ્રેમી દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવી
જીવદયા પ્રેમીઓએ શ્વાનના ઉઠેલા મુદ્દાને લઈ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા
સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેરવિચારણા કરવાની રજુઆત કરાઈ

સુરતના મજુરા ફાયર સ્ટેશન સામે જીવદયા પ્રેમીઓએ શ્વાનના ઉઠેલા મુદ્દાને લઈ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતાં.

દિલ્હી-એનસીઆરના તમામ રખડતાં કૂતરાને પકડવાનો સુપ્રિમ કોર્ટના આદેશને લઈ શ્વાન ના મુદ્દે સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ ધરણા કર્યા છે. જીવદયા પ્રેમી દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવી હતી. મજુરા ફાયર સ્ટેશનની સામે એક દિવસીય ઉપવાસ પર જીવ દયા પ્રેમીઓ બેઠા હતા અને બેનરોમાં લખ્યુ હતું કે હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હે, હમે કેદ મેં રખના યોગ્ય નહીં. સાથે સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેરવિચારણા કરવાની રજુઆત કરાઈ હતી. તો સાથે નસબંધી કરવા અને તેમને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો. બોલિવૂડ સેલેબ્સે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી શ્વાન ને બચાવવા ના માટે ધરણા પર બેઠા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *