સુરતમાં ફરી બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી
પૂરપાટ દોડતી સ્કોર્પિયોએ બાઇકસવાર બેને ઉડાવ્યા
અકસ્માતમાં એક યુવાનનું ઘટનસથળે મોત નિપજ્યું

સુરતમાં ફરી બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી એકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે બાઈક સવારને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આજે એક માર્ગ અકસ્માત થયો હતો. જહાંગીરપુરા જલારામ કાઠિયાવાડી નજીક એક બાઈક સવારને પાછળથી આવી રહેલી સ્કોર્પિયો કારે ટક્કર મારતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ લોકો દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત અંગે જાણ થતાં જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કારચાલકને અટકાવીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસો શરૂ કર્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે રોડ પર ટ્રાફિક ઓછી હતી, છતાં કાર ચાલકે સ્પીડમાં કાબૂ ગુમાવતાં ટક્કર વાગી હોવાની શક્યતા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *