સુરત : ઉધનામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ગણેશોત્સવ અને ઈદે મિલાદને લઈ બેઠક યોજાઈ
હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
આગામી ગણેશોત્સવ અને ઈદે મિલાદને લઈ સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં.
સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર ગણપતિ અને ઈદે મિલાદુન નબી તહેવાર શાંતિ અને ઉલ્લાસથી ઉજવાય તે માટે મીટીંગ યોજાઈ હતી. શાંતિ સમિતિ ના સભ્યો તથા ઉધના વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો શાંતિ સમિતિની મીટીંગમાં હાજર રહ્યા હતાં.
