સુરતના મહિધરપુરા વિસ્તારમાં આગ લાગતા ફાયર દોડતુ થયુ
આંગઢિયા ઓફિસમાં અચાનક આગ લાગતા ફાયર દોડ્યું
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ આંગઢિયા ઓફિસમાં અચાનક આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ હતું.
સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે મહિધરપુરા વિસ્તારમાં એસપી આંગડિયા ઓફિસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. તો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
