વડોદરા શેરખી ગામે જૂની અદાવતમાં પરિવાર પર હુમલો
પીરોદ નગર વિસ્તારમાં 15થી 20 લોકોના ટોળાએ કર્યો હુમલો
વડોદરા નજીક શેરખી ગામે જૂની અદાવતને લઈને એક પરિવાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ ઘરમાં ઘૂસી હિંસક હુમલો કર્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ ગામમાં તંગદિલીનો માહોલ છે.
જૂની અદાવતને લીધે વડોદરા નજીક શેરખી ગામમાં પરિવાર પર હુમલો કરાયો છે, પીરોદ નગર વિસ્તારમાં 15થી 20 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસી હિંસક હુમલો કરતા હુમલાખોરોએ પરિવારના સભ્યો પર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરિવાર આઘાતમાં છે અને આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

