હાઇકોર્ટના આદેશ અનુસાર સરકાર દ્વારા રસીકરણ અને ખશીકરણ
માંડવીમાં સરકાર દ્વારા કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણની કામગીરી
માંડવી નગરપાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશ અનુસાર સરકાર દ્વારા રસીકરણ અને ખશીકરણની કામગીરી હાથ ધરાય.
હાઇકોર્ટના આદેશ અનુસાર ગુજરાત સરકાર દ્વારા રખડતા કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણની કામગીરી માંડવી ખાતે ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત નાના ગલુડિયાને જગ્યા ઉપર રસીકરણ આપવામાં આવશે અને મોટા શ્વાનને પકડીને એનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવશે જેની ખાસ નોંધ માંડવીના જનતાએ લેવી. કૂતરાની વધતી વસ્તી અને બીમારીના કારણે આ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કૂતરાની વસ્તીમાં નિયંત્રણ મળશે અને એના રસીકરણના કારણે કૂતરાઓને થતી બીમારીઓમાં કાબુ મેળવવામાં આવશે માંડવીના જનતાને વિનંતી છે કે , આ એક સરસ કામગીરી છે જેથી માંડવીની જનતાએ માંડવી નગરપાલિકાને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે

