સુરતમાં ખુલ્લી કેનાલમાં રાત્રીના સમયે બે રીક્ષા ખાબકી
ડિંડોલીમાં ખુલ્લી કેનાલમાં બે રીક્ષા ખાબકી
જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડિંડોલીમાં ખુલ્લી કેનાલમાં રાત્રીના સમયે બે રીક્ષા ખાબકી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
સુરતમાં તંત્રની બેદરકારીના કારણે વારંવાર લોકોને ભોગવવાનો વારો આવે છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. રાત્રીના સમયે ડિંડોલીમાં કેનાલ રોડ પરથી પસાર થતી બે રીક્ષા ખુલ્લી કેનાલમાં ખાબકી હતી જો કે અકસ્માતમાં સદનસીબે કોઈને જાનહાની થઈ ન હતી. પરંતુ આ બેદરકારીના કારણે અગાઉ પણ અનેક વાહન ચાલકો કેનાલમાં પડ્યા હોય તંત્ર ક્યારે લોકોની દરકાર લેશે તેવા સવાલો ઉભા થયા છે.

