સુરતમાં ટુરમાં લઈ જઈ અધુરી ટુર કરાવી
લાખો રૂપિયાની રકમ પરત નહી આપી છેતરપિંડી
રાંદેરમાં રહેતા યુવરાજ દિપકકુમાર જરીવાલાની ધરપકડ
સુરતમાં ટુરમાં લઈ જઈ અધુરી ટુર કરાવી લાખો રૂપિયાની રકમ પરત નહી આપી છેતરપિંડી કરનાર ઠગને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનજી ચૌધરીની ટીમ પીએસઆઈ ડોડીયાના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ટુરમાં લઈ જઈ અધુરી ટુર કરાવ્યા બાદ 5 લાખ 28 હજાર રૂપિયાની રકમ પરત નહી આપી છેતરપિંડી કરનાર ઠગ આરોપી એવા મુળ અલથાણ ભીમરાડનો અને હાલ રાંદેર ભેસાણ રોડ પર આવેલ ગ્લોબલ રેસીડેન્સીમાં રહેતા યુવરાજ દિપકકુમાર જરીવાલાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

