સુરતના ભેસ્તાન આવાસ ખાતે પટકાયેલી ત્રણ વર્ષની બાળકી
પાંચમા માળેથી પટકાયેલી ત્રણ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત
બાળા નિકી શ્યામનાથ પંડિતનો ચમત્કારિક બચાવ થયો
સુરતના ભેસ્તાન આવાસ ખાતે પાંચમા માળેથી પટકાયેલી ત્રણ વર્ષની બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાઈ હતી. જો કે બાળાનો ચમત્કારિક બચાવ થયો હતો.
સુરતમાં એક ઘટના બની હતી જેમાં રામ રાખે તેને કૌન ચાખે. વાત એમ છે કે ભેસ્તાન આવાસ ખાતે રહેતા પરિવાની ત્રણ વર્ષની દિકરી પાંચમા માળેથી પટકાઈ હતી જો કે સદનસીબે બાળાનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે બાળાને ઈજાઓ થતા તેણીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી. તો સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ માસુમ બાળાનુ નામ નિકી શ્યામનાથ પંડિત છે. હાલ બાળાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

