તળાજાના સરતાનપર બંદરના સમુદ્રમાં ત્રણ બાળકો ડૂબતા હાહાકાર
એક જ પરિવારના બે બાળકોના ડૂબી જતા મોત,
આયુષ જાદવ અને શિવાનીયા જાદવના મોતથી પરિવારમાં શોકનો માહોલ
ભાવનગરતળાજા તાલુકાના સરતાનપર બંદરના સમુદ્રમાં ત્રણ બાળકો ડૂબી હતા એક જ પરિવારના ત્રણ બાળકો પાણીમાં ડૂબી જતા ગામમાં હાહાકાર મચી ગયો હતો
ત્રણમાંથી એક બાળકીને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી જ્યારે એક બાળકી અને એક દીકરાનું ડૂબી જતા મૃત્યુ થયું છે જેના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે આ ઘટનાના પગલે સરતાનપર બંદર ગામ તેમજ તળાજા તાલુકામાં ખળભળાટ મચી ગયો છે જેમાં મૃતકનું નામ આયુષ રમેશભાઈ જાદવ ઉંમર વર્ષ 7 તેમજ બાળકીનું નામ શિવાનીયા રમેશભાઈ જાદવ ઉંમર વર્ષ 9 હોવાનું હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું છે..

