સુરત : ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
વિનોદ ઉર્ફે ભુરીયો કિષ્ણારાવ ધકાતેની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યાના ગુનામાં ઝડપાયા બાદ વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ, ફર્લો, વચગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે ગોડાદરા નારાયણ નગર આસપાસ મંદિર સામેથી વચગાળાના જામીન પર ફરાર થયેલા મર્ડરના ગુનાના આરોપી એવા પાકા કામના કેદી વિનોદ ઉર્ફે ભુરીયો કિષ્ણારાવ ધકાતેને ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

