સુરતની એસઓજીની ટીમે શંકાસ્પદ માખણનો જથ્થો કબ્જે કર્યો
પુણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરી
શંકાસ્પદ 143 કિલો જેટલો માખણ કબ્જે લઈ તપાસમાં મોકલ્યો
સુરતની એસઓજીની ટીમે પુણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં આરોગ્ય અધિકારી સાથે મળી દરોડા પાડી શંકાસ્પદ માખણનો જથ્થો કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અખાદ્ય પ્રદાર્થોનુ વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.પો.કો. વિકાસ અને રામભાઈને મળેલી બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારી ડી.બી. મકવાણાને સાથે રાખી એસઓજીની ટીમે પુણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં દરોડા પાડી ત્યાંથી શંકાસ્પદ 143 કિલો જેટલો માખણ કબ્જે લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયો હતો. અને જો રપોર્ટ નેગેટ આવશે તો ડેરી સંચાલકો સામે પગલા લેવાશે તેમ જણાવાયુ હતું
