મોડાસા : અંબાજી જતા પયાત્રીઓ માટે વિસામો ઉભો કરવામાં આવ્યો
મોડાસાના મરડીયા પાટિયા સ્ટેટ હાઇવે પાસે ચા-પાણી, મેડિકલ સુવિધા ખુલ્લી મુકાઇ
ભાજપ સંગઠનના આગેવાનો અને આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા
મોડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહજી પરમાર પરિવાર ના કિરણસિંહ, રણજીતસિંહ,પ્રવિણસિંહ દ્વારા અંબાજી જતા પયાત્રીઓ માટે વિસામો ઉભો કરવામાં આવ્યો છે જે વિસામાં નું રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રીબીન કાપી માં અંબાની આરતી ઉતારી વિસામાને અંબાજી જતાં સર્વે ભક્તજનો માટે મોડાસાના મરડીયા પાટિયા સ્ટેટ હાઇવે પાસે ચા પાણી મેડિકલ સુવિધા અને અવિરત જમવા માટે ભોજન સાથે ખુલ્લો મુક્યો હતો,આ પ્રસંગે ભાજપ સંગઠનના આગેવાનો અને આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

