સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
6.62 લાખથી વધુનો મુદ્દામાલ પરત કરતા પોલીસનો આભાર
એક વાહન, 21 મોબાઈલ, 2 સોનાની ચેઈન અને લંગડી પરત કર્યા
સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને તેઓના 6.62 લાખથી વધુનો મુદ્દામાલ પરત કરતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવા આપેલી સુચનાને લઈ પીઆઈ એસબી દેસાઈની ટીમ દ્વારા વિવિધ ગુનાઓમાં કે ગુમ થયેલ મુદ્દામાલ શોધી કાઢ્યા બાદ કોર્ટ કાર્યવાહી બાદ મુળ માલિક એવા લાભાર્થીઓને 6 લાખ 62 હજારથી વધુનો મુદ્દામાલ જેમાં એક વાહન, 21 મોબાઈલ, 2 સોનાની ચેઈન અને લંગડી પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

