સુરતની ઉત્રાણ પોલીસે જીંદગી બચાવી
જીંદગીથી નિરાશ થઈ સુસાઈડ કરવા જતા ઈસમને બચાવ્યો
રોજિંદા પ્રશ્નો પુછી શાંત પાડી કાઉન્સેલીંગ કરી તેનો જીવ બચાવી લીધો
સુરતની ઉત્રાણ પોલીસે પોતાની જીંદગીથી નિરાશ થઈ સુસાઈડ કરવા જતા ઈસમને ગણતરીની મીનીટોમાં બચાવી લઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા ની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ ઘર કંકાસ કે ડિપ્રેશનમાં આવી કોઈ અન્ય કારણોસર આત્મહત્યા કરવા જતા લોકોને બચાવવા તપાસમાં હતી ત્યારે પીઆઈ ગોસ્વામીની ટીમના પીએસઆઈ આરડી ધાધલની ટીમને એવી માહિતી મળી હતી કે ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક ઈસમ સુસાઈડ કરે છે જે માહિતીના આધારે તાત્કાલિક પોલીસ ટીમે સ્થળે દોડી જઈ ત્યાંથી આપઘાત કરવા મકાનનો દરવાજો અંદરથી લોક કરનાર ઈસમને બારીમાંથી મકાનમાં જઈ બચાવી લઈ જીવન તથા રોજિંદા પ્રશ્નો પુછી શાંત પાડી કાઉન્સેલીંગ કરી તેનો જીવ બચાવી લીધો હતો.

